Posts

Showing posts from June, 2024

ત્રણેયને ધન્યવાદ છે

  બીજુ ગુજરાતમાં એક ગામમાં સારા શેઠ હતા તે ખુબ જ ભગવાનનું ભજન કરતા હતા .ને તેમનું નામ નાનચંદ ભાઈ હતું.તેમને એક દીકરા હતા .તે દીકરાનું નામ જીતેન્દ્ર હતું. તે જીતેન્દ્રભાઈ પણ સારા ભક્ત હતા ને તે પણ ખૂબ જ ભગવાનની ભક્તિ કરે ,ભગવાનના નિયમો બરાબર પાલન કરતા,તેમની ઉંમર ૨૩ વર્ષની થઈ ત્યારે તે જીતેન્દ્રભાઇ ના પિતા નાનચંદભાઈ કહે હે પુત્ર , તમો મોટા થયા માટે તમારા સારા ઠેકાણે લગ્ન કરીએ તે સાંભળી તે જીતેન્દ્ર બોલ્યા , ભલે પિતાશ્રી આપની જેમ આજ્ઞા હોયે તેમ વરતું .આગળના જમાનામાં માતા પિતા જે કન્યા જોઈ આવે તે કન્યા સાથે પોતાના પુત્રને પરણાવતા હતા. તેમના માતા પિતા એક સારું ગામ હતું. ત્યાના એક સારા સજ્જન માણસ હતા તે પણ ભગવાનનું ભજન બરાબર કરતા. તેમનું નામ રૂપચદભાઇ હતું. તે રૂપચંદને ઘેર સારી કન્યા હતી. તે કન્યાનું નામ રામબેન હતું, તે રામબેન પણ સારી ભક્તિ કરે, ભગવાનનના નિયમો બરાબર પાલન કરે તે કન્યાની ઉંમર ૨૧ વર્ષની થઇ ત્યારે એ કન્યાના પિતા તે કન્યાને કહે, અરે રામબેન તમારી ઉંમર મોટી થઇ તેથી તમને સારે ઠેકાણે લગ્ન કરીયે તે સાંભળી તે રામબેન બોલી કે ભલે પિતાશ્રી...

નિર્દોષ મુર્તિ મૂળજી બ્રહ્મચારી

 નિર્દોષ મુર્તિ મુળજી બ્રહ્મચારી *************************    એકવખતે શ્રીહરિ સેવક મુળજી બ્રહ્મચારી સાથે વિચરણ કરતા ગામ ભાદરા પધાર્યા હતા. તે મુળજી બ્રહ્મચારીને શ્રીહરિએ પોતાની મોજડીને તેલ ચોપડવા કહ્યુ, તેથી બ્રહ્મચારી મોજડી લઇને ઓસરીની કોરે તેલ ચોપડવા બેઠા હતા. એ સમયે વશરામ સુતાર ત્યાં આવ્યા ને ભોળા સ્વભાવના મુળજી બ્રહ્મચારી પાસેથી આગ્રહે કરીને મોજડી લઇને પોતે ચોપડવા મંડયા. બરાબર એજ વખતે શ્રીહરિ ઓરડામાંથી બહાર ઓસરીમાં આવ્યાને વશરામ સુતારને પુછવા લાગ્યાં જે “વશરામ કોના જોડા ચોપડે છે?” એટલે તે કાંય ન બોલ્યા એટલે શ્રીહરિ મુળજી બ્રહ્મચારી પ્રત્યે બોલ્યા જે “અલ્યા બ્રહ્મચારી, તમે એના પાહે જોડા ચોપડાવો છો કે?” ત્યારે મુળજી બ્રહ્મચારી હાથ જોડીને બોલ્યા જે “અરે મહારાજ, મેં તો ધણીય ના કહી, તોય બળાત્કારે મારા પાહેથી લઇને તેઓ ચોપડવા મંડયા છે..!” તે સુણીને મહારાજ બોલ્યા જે “ આજથી જોડા પહેરે તે હરામ ખાય..!” ત્યારે બ્રહ્મચારી બોલ્યા જે “ભલે મહારાજ, સાત વખત હરામ ખાઉ, જોડા પહેરું તો..!”  પછી વળી થોડા દિવસ સાથે વિચરણ કરતા શ્રીજી મહારાજે બ્રહ્મચારીને વાંકમાં લાવીને ઘી-ગોળ ખાવાની પણ બં...

એક ભક્તે ભગવાનને પૂછ્યો પ્રશ્ન

 એક ભક્ત ભગવાનના દર્શન કરવા માટે મંદિરે આવ્યા.  ઉનાળાની ઋતુ હતી એટલે  ભગવાનને ધરાવવા માટે પોતાની સાથે  થોડી કેરીઓ પણ લાવેલા. જેને જોતા જ  મોમા પાણી છૂટે એવી સુગંધથી ફાટ ફાટ થતી કેરીઓ એણે પ્રભુના ચરણોમાં અર્પણ  કરી.  ભગવાનના દર્શન કરતા કરતા  ભક્તની આંખો ભીની થઇ ગઇ. ભગવાન પ્રગટ થયા અને ભક્તને પુછ્યુ, " વત્સ, કેમ આંખમાં આંસુ આવ્યા ? "  ભકતએ કહ્યુ,  " પ્રભુ, આપ તો અંતરયામી છો. બધુ જ જાણો છો તો પછી શા માટે પુછો છો ?  મારા જીવનમાં સમસ્યાઓનો કોઇ પાર  નથી. એક પ્રશ્ન માંડ-માંડ ઉકેલુ ત્યાં  બીજો ઉભો થાય છે.. કેટલીક વખત તો એવા  વિચાર પણ આવે છે કે હું તમારુ કેવુ ધ્યાન રાખુ છું તો પછી તમે મારુ ધ્યાન કેમ નથી  રાખતા ?  આ બળબળતા ઉનાળામાં ટાઢક  થાય તે સારુ હું તમારા માટે કેરીઓ લઇ આવ્યો તમને મારા માટે કંઇક કરવાનો  વિચાર કેમ નહી આવતો હોય ? " ભગવાને ભક્તને પુછ્યુ,  " આ કેરીઓ તું તારી  ઘરે લાવ્યો ત્યારે કાચી હતી કે પાકી હતી ?  " ભક્તએ કહ્યુ,  " માર્કેટમાં પાકી  કેરીઓ મળતી હતી પણ એ તો કાર્બેટથી...

મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ

 બીજું મોટા સત્પુરુષને  ઓળખીને  તેમનો શુદ્ધ ભાવે સમાગમ કરવો. તે મોટા સતપુરુષ તો કેવા છે  તો સમુદ્ર જેવા છે. સમુદ્રમાં ઝેરી સાપ  - મગરમચ્છ- માછલા વગેરે અનંત જીવો રહ્યા છે તે બધાને એક જ પાણીમાં રાખે છે. જરાપણ પક્ષપાત રાખતા નથી. એમ  મોટા સતપુરુષ પણ મોટાથી લઈને નાના સુધીના વિવિધ પ્રારબ્ધ કર્મોવાળા દરેક જીવને રાખે તેને કોઈ વ્હાલો કે ખરાબ હોતો જ નથી. જેમ સમુદ્રમાં ગમે તેટલી નદીઓ  આવેલ છે તથા મોટા મોટા જીવો ખુબ જ પાણી પીએ છે.  છતા સમુદ્ર જરાપણ ઓછો થતો નથી. તેમાં વધઘટ થાય નહીં. હમેશાં સ્થિર રહે  એમ મોટા  સત પુરુષ  પણ સુખના ભંડાર જેવા છે.કોઈને વધુ ઓછું સુખ મળે  તો એ તો પાત્રતા પ્રમાણે થાય માટે મોટા પુરુષ સાથે જીવ જોડી દેવો તથા તેની સાથે અંતરનું હેત રાખવું. બહારથી હેત ઘણું બતાવે પણ અંતરમાં હેત ન રહે તો તે શા કામનો માટે અંતરવૃત્તિથી જોડાઈ જવું. મોટા પુરુષને નિષ્કાળી,  નિર્વિકારી - નિર્દોષ સમજે તો પોતે પણ  નિર્દોષ થઈ જાય છે. તે ( ગઢડા પ્ર.૫૮) ના વચનામૃતમાં લખેલ છે.  બીજું 'માતા પિતા યુવતી  સુત - બાંધત સંગ ચલત નહીં કોઈ સ...