મોટા પુરુષને વિશે નિર્દોષ બુદ્ધિ
બીજું મોટા સત્પુરુષને ઓળખીને તેમનો શુદ્ધ ભાવે સમાગમ કરવો. તે મોટા સતપુરુષ તો કેવા છે તો સમુદ્ર જેવા છે. સમુદ્રમાં ઝેરી સાપ - મગરમચ્છ- માછલા વગેરે અનંત જીવો રહ્યા છે તે બધાને એક જ પાણીમાં રાખે છે. જરાપણ પક્ષપાત રાખતા નથી. એમ મોટા સતપુરુષ પણ મોટાથી લઈને નાના સુધીના વિવિધ પ્રારબ્ધ કર્મોવાળા દરેક જીવને રાખે તેને કોઈ વ્હાલો કે ખરાબ હોતો જ નથી. જેમ સમુદ્રમાં ગમે તેટલી નદીઓ આવેલ છે તથા મોટા મોટા જીવો ખુબ જ પાણી પીએ છે. છતા સમુદ્ર જરાપણ ઓછો થતો નથી. તેમાં વધઘટ થાય નહીં. હમેશાં સ્થિર રહે એમ મોટા સત પુરુષ પણ સુખના ભંડાર જેવા છે.કોઈને વધુ ઓછું સુખ મળે તો એ તો પાત્રતા પ્રમાણે થાય માટે મોટા પુરુષ સાથે જીવ જોડી દેવો તથા તેની સાથે અંતરનું હેત રાખવું. બહારથી હેત ઘણું બતાવે પણ અંતરમાં હેત ન રહે તો તે શા કામનો માટે અંતરવૃત્તિથી જોડાઈ જવું. મોટા પુરુષને નિષ્કાળી, નિર્વિકારી - નિર્દોષ સમજે તો પોતે પણ નિર્દોષ થઈ જાય છે. તે ( ગઢડા પ્ર.૫૮) ના વચનામૃતમાં લખેલ છે.
બીજું 'માતા પિતા યુવતી સુત - બાંધત સંગ ચલત નહીં કોઈ સમજન હરિ ભજતા સુખ હોય ' (પૂ.બ્રહ્માનંદ સ્વામી) એ કીર્તનમાં લખેલ છે.
ક્રમશ..........
શ્રી હરિ ઉપદેશામૃત
ક્ર.નં.:90 પેજ નં.:95
Comments
Post a Comment