Posts

Showing posts from January, 2026

એકાંતિક ભક્ત

 *વિરોધીઓ ભોંઠા પડ્યા* અંજારના એકાંતિક ભક્ત પ્રાગજીભાઈ *************************       કચ્છમાં અંજાર શહેરમાં ગગરાણી ફળિયામાં પ્રાગજીભાઈના આંગણે એક તેજસ્વી મુખાકૃતિ ને તપે કરીને કૃશ હોય એવા એક પવિત્ર સાધુ ભિક્ષા માટે આવીને ઉભા. “નારાયણ હરે, સચ્ચિદાનંદ પ્રભો….!” પ્રાગજીભાઈના બેન કાશીબા બહાર આવ્યાં ને પૂછયું. “બાવાજી..! ભિક્ષામાં શું લાવું?” ત્યારે સાધુ મહારાજે કહ્યું, “મૈયા, થોડા મગ આપો.” કાશીબા તો સુપડું ભરીને મગ લઈ આવ્યા ને સાધુને આપવા ગયા, ત્યાં સાધુ મહારાજે કહ્યું “મૈયા, અમારે તો આટલા બધા ન ખપે, અમને તો બે જ મુઠી મગ જોઈએ.” બાઈ તો આવા નિર્લોભી અને અલ્પહારી ભિક્ષુકને જોઈ પ્રભાવિત થયાં, પોતાની આંખનાં આંસુ લૂંછી બે મુઠી મગ સાધુને આપ્યાં. સાધુએ પૂછ્યું, “હે માં, તમે કેમ શોકાતુર છો?” તે સાધુ મહારાજ એટલું કહે ત્યાં તો બાઈ મોટેથી રડી પડયાં. સાધુ મહારાજે એ કાશીબાઇને શાંત રાખ્યા, પછી કાશીબા કહે 'મહારાજ મારો ભાઈ પ્રાગજી થોડા મહિના પહેલાં જ પરણેલો તે યજમાન વૃત્તિના કામે હાલમાં ભાલ પ્રદેશમાં ગયેલ ત્યાંથી સમાચાર આવ્યા  છે કે તે મૃત્યુ પામ્યાં છે ને આજે તો તેનો નવમો દિવસ છે....